Posts

Showing posts from May, 2020

AK VICHAR

Image
બાળકો જ્યારે  .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે .. ત્યારે  તમારા ..32 દાંત બતાવી હસવાનું ન રાખો. તમારા 32 દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે.. 50 થી 60 વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી...સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી.. ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું... એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો. અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે... કુમાળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...? ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે.... સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી  લેતા. ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો... આજે બાળકોને બ...

RAMAYAN

Image
ચિંતન .....                             રામાયણ ....       આ લોકડાઉન ના સમય મા રામાયણ નું પ્રસારણ ફક્ત મનોરંજન માટે નથી પણ સંસ્કાર શીખવા નું એક સાધન છે ...       કોરોના ની મહામારી મા દેશ માટે કેન્સર બનેલા તત્વો પણ રામાયણ ના ખલનાયકો થી પણ ઘણું બધું શીખી શકે છે ...    રામાયણ ના નાયકો રામ , લક્ષ્મણ , ભરત શીખવાડે છે કે રાષ્ટ્ર માટેકેવી રીતે જીવવું .. જ્યારે ખલનાયકો શીખવાડે છે કે રાષ્ટ્ર માટે કેવી રીતે મરવું ...     કુંભકર્ણ શીખવાડે છે કે રાજા ની નિતી ઓ , કાર્ય પસંદ ના હોય તો પણ રાષ્ટ્રદ્રોહ ના કરાય ,  સૈનિકો , વૈઘો પર પત્થર ના ફેંકાય , દેશ મા ઉપદ્રવ ના ફેલાવાય..          જ્યારે દેશ મુશ્કેલી મા હોય તો પ્રત્યેક નાગરીકો નું એકમાત્ર કર્તવ્ય છે’ રાષ્ટ્ર ની રક્ષા ‘ અંદરુની અસહમતિ હોય, તમને રાજા કે એમની નિતીઓ ના ગમતી હોય તો  તે પાછળ થી પણ સુલજાવી સકાય છે..જો રાષ્ટ્ર જ નહી રહેશે તો તમારી સહમતિ કે અસહમતિ નું કોઈ। મૂલ્ય...